મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજૂરી કરતા પરિવારોનો ટેકો બનીને ઊભું છે — એમના ઘર, જમીન અને બંધારણીય અધિકારોની રક્ષા માટે. સંપૂર્ણ નિઃશુલ્ક. કોઈપણ ભેદભાવ વગર.
મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજૂરી કરતા પરિવારોનો ટેકો બનીને ઊભું છે — એમના ઘર, જમીન અને બંધારણીય અધિકારોની રક્ષા માટે. સંપૂર્ણ નિઃશુલ્ક. કોઈપણ ભેદભાવ વગર.
મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજૂરી કરતા પરિવારોનો ટેકો બનીને ઊભું છે — એમના ઘર, જમીન અને બંધારણીય અધિકારોની રક્ષા માટે. સંપૂર્ણ નિઃશુલ્ક. કોઈપણ ભેદભાવ વગર.
મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજૂરી કરતા પરિવારોનો ટેકો બનીને ઊભું છે — એમના ઘર, જમીન અને બંધારણીય અધિકારોની રક્ષા માટે. સંપૂર્ણ નિઃશુલ્ક. કોઈપણ ભેદભાવ વગર.
મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજૂરી કરતા પરિવારોનો ટેકો બનીને ઊભું છે — એમના ઘર, જમીન અને બંધારણીય અધિકારોની રક્ષા માટે. સંપૂર્ણ નિઃશુલ્ક. કોઈપણ ભેદભાવ વગર.
મધર્સ ફાઉન્ડેશન જામનગર, ગુજરાતમાં કાર્યરત એક બિનસરકારી સંસ્થા છે.
સ્થાપના વર્ષ
પરિવારોથી ફી
કારણ કે ભારતનું બંધારણ કાગળ ઉપર દરેક નાગરિકને સરખા અધિકારો આપે છે… પણ હકીકતમાં એ અધિકારો દેશના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો સુધી કદી પહોંચતા જ નથી. જે ખેડૂત ચાલીસ-ચાલીસ વર્ષથી પોતાની જમીન ઉપર ખેતી કરતો આવ્યો હોય એને પોતાના અધિકારોની જ ખબર નથી હોતી; જે પરિવારને સવારે સેક્શન ૬૧ હેઠળ ઘર ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવે એને એ પણ ખબર નથી હોતી કે તેઓ આ નોટિસ વિરુદ્ધ લડી શકે છે; અને જે મજૂરની જમીન ટ્રાન્સમિશન લાઈન માટે સંપાદિત કરવામાં આવી રહી હોય એને ખબર પણ નથી હોતી કે કાયદાની પણ મર્યાદાઓ હોય છે — અને એ મર્યાદાઓ એમના રક્ષણ માટે જ બનાવવામાં આવી છે.
કાયદેસરની લડત દ્વારા… લોકોને એમના બંધારણીય અધિકારોની સમજ આપીને… અને એક વિશ્વાસ સાથે કે ન્યાય માત્ર પૈસાવાળા લોકોનો અધિકાર નથી.
અમે કોઈપણ રાજનૈતિક સંસ્થા સાથે સંકળાયેલા નથી.
પરિવારો પાસેથી અમે એક પણ રૂપિયો ક્યારેય લેતા નથી.
અમારા કામની એક જ ઓળખ છે — પરિણામ.
ગુજરાતના ગામડાઓમાં હજારો પરિવારો વર્ષોથી સરકારી ખરાબા અને પડતર જમીન ઉપર રહેતા આવ્યા છે.
આ ઘરો દાયકાઓ પહેલાં બનાવવામાં આવેલા હોય… છતાંય આજે સરકાર એ જ ઘરોને ગેરકાયદેસર જાહેર કરી નાખે છે.
મધર્સ ફાઉન્ડેશન આવા પરિવારો વતી કલેક્ટર પાસે રેગ્યુલરાઈઝેશનની અરજીઓ કરે છે… ગુજરાત હાઈકોર્ટ સુધી લડત લડે છે… અને પરિવારોના ઘરોને કાયમી રીતે કાયદેસર માન્યતા અપાવવાનું કામ કરે છે.
૨,૧૦૦થી પણ વધુ પરિવારો માટે અમે આ લડત લડી અને જીતી ચૂક્યા છીએ. એ પણ સંપૂર્ણ નિઃશુલ્ક — એક પણ રૂપિયો લીધા વગર.
જ્યારે કંપનીઓના પ્રોજેક્ટ, ટ્રાન્સમિશન લાઈનો અને જમીન સંપાદન ગામડાઓ સુધી પહોંચે છે… ત્યારે પેઢીઓથી ખેતી કરતા ખેડૂતો પોતાની જ જમીન ગુમાવવાની સ્થિતિમાં આવી જાય છે. માત્ર જામનગર જિલ્લામાં જ અમે ૮૦૦થી વધુ ખેડૂતો માટે લડત લડી છે.
સરકારી નોટિસ મળ્યા પછી મોટા ભાગના પરિવારો માની લે છે કે સરકાર જે કહે છે એ જ સાચું હશે. અમે એમની ઢાળ બનીને ઊભા રહીએ છીએ — અને સમજાવીએ છીએ કે બંધારણ હેઠળ ખેડૂત હોય કે કંપની, મજૂર હોય કે મંત્રી, કાયદો બધા માટે એકસરખો છે.
ઘણા પરિવારો કોર્ટ સુધી પહોંચે એ પહેલાં જ હારી જાય છે — કારણ કે એમના દસ્તાવેજો અધૂરા હોય, ખોટી રીતે રજૂ થયેલા હોય, અથવા વર્ષો સુધી ભેગા જ કરવામાં આવ્યા ન હોય. અમે જરૂરી કાગળો ભેગા કરવામાં, ચકાસવામાં અને કાયદેસરની રીતે ગોઠવવામાં મદદ કરીએ છીએ.
પતિના અવસાન પછી અથવા પરિવારની જવાબદારી સ્ત્રીઓના ખભા ઉપર આવી પડે પછી, મહિલાઓ પોતાના જ ઘર અને જમીનના હકો ગુમાવવાની સ્થિતિમાં આવી જાય છે. અમે ખાસ કરીને મહિલાઓના જમીન અને વારસાગત અધિકારો માટે કામ કરીએ છીએ.
મતદાન માત્ર સરકાર બનાવવાનો અધિકાર નથી — પોતાના ઘર અને જમીનના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો અધિકાર પણ છે. તમે મતદાન વખતે જે અધિકારનો ઉપયોગ કરો છો… એ જ અધિકારો એક દિવસ તમારા ઘરની રક્ષા પણ કરે છે.
અમે એવા દાવા કરતા જ નથી… જેની સાબિતી અમે આપી ન શકીએ.
નીચે આપેલો દરેક આંકડો… ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલા કેસો, સરકારી અરજીઓ અને જાહેર કાયદેસર રેકોર્ડ ઉપર આધારિત છે.
૮ ગામો
ચંદ્રગઢ, ધુતારપર, ધુડાસિયા, લોઠિયા, રસુલનગર, વાયણા, રાજસ્થળી, રાજડા
૨,૧૦૦+ પરિવારો. જામનગર કલેક્ટર પાસે રેગ્યુલરાઈઝેશનની અરજીઓ દાખલ.
૪ ગામો — ભરવાડા સહિત
૧૫૦+ પરિવારો માત્ર ભરવાડા ગામમાં.
સેક્શન ૬૧ની નોટિસો સામે કાયદેસર લડત. ₹૫૦ લાખથી પણ વધુ થઈ શકે એવો કાયદેસર ખર્ચ મધર્સ ફાઉન્ડેશને સંપૂર્ણ રીતે ઉઠાવ્યો.
રાફાળા ગામ
૨૫+ પરિવારો. અમરેલી કલેક્ટર પાસે અરજીઓ દાખલ.
“The Collector, Jamnagar is directed to take appropriate action upon the application preferred by the petitioner for regularisation of occupancy/possession over the land in question. Till the decision is taken by the Collector, no coercive action shall be taken.”
— Justice Mauna M. Bhatt, Gujarat High Court
SCA 1382/2025 · ૩૧ જાન્યુઆરી ૨૦૨૫
મનસુખભાઈ કોઠિયા · રાજસ્થળી ગામ, જામનગર
“The appropriate authority in the Revenue Department, Government of Gujarat shall decide the application of the petitioner within a period of 4 weeks, on its own merits, in accordance with law. Till the decision is taken by the State Government, the impugned notice dated 19.07.2025 shall remain in abeyance.”
— Justice Aniruddha P. Mayee, Gujarat High Court
SCA 10806/2025 · ૧ ઓગસ્ટ ૨૦૨૫
મનસુખભાઈ કોઠિયા · રાજસ્થળી ગામ, જામનગર · બીજો રાઉન્ડ
“The applications filed by the petitioners seeking regularisation of construction on Government Waste Land were directed to be considered. Till the decision is taken, no coercive action pursuant to the notice issued therein be taken.”
— Co-ordinate Bench, Gujarat High Court
SCA 15752/2024 · ૨૨ નવેમ્બર ૨૦૨૪
ચંદ્રગઢ અને ધુતારપર ગામો, જામનગર · રાજ્યવ્યાપી દાખલો
ઉપર આપેલો દરેક ઓર્ડર જાહેર કાયદેસર રેકોર્ડનો ભાગ છે.
મધર્સ ફાઉન્ડેશન જામનગર
જલ પટેલ જામનગરના મધર્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે… અને ગુજરાતના હજારો પરિવારો માટે મધર્સ ફાઉન્ડેશન વતી ઉઠતો એક અવાજ પણ છે.
જામનગરમાં ઊછરેલી જલ પટેલે બાળપણથી પોતાના પરિવારને ખેતી મજૂરી કરતા શ્રમિકો માટે એક પછી એક કાયદેસરની લડતો લડતા જોયા છે.
જલ પટેલને વારસામાં કોઈ વ્યવસાય નહોતો મળ્યો — એક લડત મળી હતી.
આજે જલ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી… ગામડાઓમાં યોજાતા કાયદાકીય કેમ્પો દ્વારા… અને જરૂરતમંદ પરિવારો સુધી સીધા જોડાઈને… આ સંસ્થાનો અવાજ ગુજરાતના હજારો પરિવારો સુધી પહોંચાડવાનું કામ કરે છે.
ઘણા પરિવારો માટે પોતાના પ્રશ્નો ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવાનું કામ આજે જલ પટેલનો અવાજ કરે છે.
જલ પટેલનો વાયદો એ જ સંસ્થાનો વાયદો છે — કોઈપણ પરિવાર પોતાના માથા ઉપરનું છાપરું નહીં ગુમાવે. અને જો ક્યારેય બુલડોઝર તમારા આંગણે પહોંચે… તો જલ પટેલ તમારી ઢાળ બનીને ઊભી રહેશે.